26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણા દિલ્હી લાવવામાં આવ્યો

By: nationgujarat
10 Apr, 2025
26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણા ફાઈનલ ભારત આવી પહોંચ્યો છે. તેને લઈને આવી રહેલું સ્પેશિયલ વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું. ત્યાર બાદ તેને એરપોર્ટથી રાષ્ટ્રીય તપાસ એજન્સીના હેડક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યો છે, જ્યાં તપાસ એજન્સીની ટીમ દ્વારા તેની સાથે પૂછપરછ થશે. ત્યાર બાદ તહવ્વુર રાણાને તિહાડ જેલમાં રાખવામાં આવશે. જ્યાં તેની સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

એનઆઈએએ તેને કબજામાં લઈ લીધો છે. હવે તેને એનઆઈએ ઓફિસે લઈ જવામાં આવશે. જ્યાં મેડિકલ કરાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેના માટે દિલ્હી પોલીસે ત્રણ રુટ બનાવ્યા છે. એક જેના પર તેને લઈ જવામાં આવશે અને બે વૈકલ્પિક રુટ બનાવ્યા છે. જેથી કોઈ તકલીફ હોય તો આ રુટનો ઉપયોગ કરી શકાય.

તે એક દાયકાથી પણ વધારે સમયથી તહવ્વુર હુસૈન રાણા અમેરિકાની જેલમાં બંધ હતો. પીએમ મોદીના પ્રયાસો બાદ તેને ભારત લાવી શકાયો છે. ભારતમાં તેને એનઆઈએ દ્વારા ધોલાઈનો ડર સતાવી રહ્યો છે. તેના આધાર પર તેણે અમેરિકી કોર્ટમાં બચવાનો પ્રયાસ પણ કર્યો હતો.

તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રખાશે

આખરે હવે તેને અમેરિકાથી ઘસેડીને ભારત લાવવામાં આવ્યો છે. હવે NIA તહવ્વુર રાણાને પોતાની કસ્ટડીમાં લેશે. આ પછી તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં તેના રિમાન્ડ માંગવામાં આવશે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને તિહાર જેલમાં રાખવામાં આવી શકે છે. તહવ્વુર રાણા 64 વર્ષનો છે. તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. આતંકવાદીને રાખવા માટે જેલમાં તમામ જરૂરી તૈયારીઓ પહેલાથી જ કરી લેવામાં આવી છે.


Related Posts

Load more